Posts

Showing posts from August, 2018

પંચકેદાર

Image
   પંચકેદાર      હિમાલયનું નામ સાંભળતા જ ચાર ધામની યાત્રા, પંચકેદાર, પંચપ્રયાગ અને સપ્તબદરી સહિત અનેક પુરાણ કથાઓ યાદ આવી જ જાય. આપણા પુરાણોમાં તો સમસ્ત હિમાલયને જ શિવસ્વરૂપ કહેવામાં આવે છે. ઊંચા ઊંચા પહાડોને તેની જટા અને તેમાંથી નીસરતી નદીઓને સ્વર્ગથી ઊતરતી ગંગા સમાન માનવામાં શ્રદ્ધાળુઓ ધન્યતા અનુભવે છે. હિમાલય માત્ર શ્રદ્ધાની દ્રષ્ટીએ જ નહી પ્રાકૃતિક સંપદા અને સૌંદર્યની નજરે જોઈએ તો પણ અજોડ છે.                હિમાલયમાં શિવમંદિરોનો મહિમા ખૂબ જ મોટો છે , લગભગ દરેક ગામમાં એકાદ શિવમંદિર જોવા મળે જ છે. ગઢવાલ અને કુમાઉં વિસ્તારનાં શિવ મંદિરોની યાદી તો ખૂબ મોટી છે. પણ તેમાં પંચકેદારનું માહાત્મ્ય ખૂબ છે. ગઢવાલી લોકોમાં એક માન્યતા છે કે જીવનમાં એક વાર તો પંચકેદારની યાત્રા કરવી જ જોઈએ. હિમાલયનું અવર્ણનીય સૌંદર્ય અહીં પથરાયું છે. મેં આ યાત્રા બે વાર જુદા જુદા માંગે કરી છે એટલે એ વિસ્તારોનો સારો અનુભવ છે. આજે આ માર્ગદર્શન આપવાનો હેતુ એટલો કે ગુજરાતી ભાષામાં આવી માહિતીની ખોટ છે અને બીજું કે યુવાનોને ત્ય...

કેદારઘાટી

Image
      મારો આ લેખ બે વરસ પહેલા `નવનીત સમર્પણ´ સામયિકમાં છપાયો હતો જે અહીં કેટલાક સુધારા વધારા સાથે મૂકી રહ્યો છું.      બરફના વિશાળ પટને ખૂંદતા , એક ઊંચી ધાર ચડી અમે પહાડના શિખરે પહોંચ્યા . છાતીમાં શ્વાસ ભલે સમાતો ન હતો પણ બીજી બાજુંનું ભવ્ય દ્રષ્ય જોતા એ ઘડીભર થંભી જ ગયો ! નજર સામે વિશાળ ખીણ ખૂલ્લી થઈ . ચોતરફ હિમપહાડોની કિલ્લેબંધી વચ્ચે હરિયાળા મેદાનો પથરાયા હતા . ખીણમાં નદીની ધારાઓ રમતી દેખાઈ . તેમાં કિલ્લોલ કરતી વહેતી હતી સ્વર્ગગંગા મંદાકિની , અને તેના એક છેડે શોભતી હતી કેદારપુરી ! કેદારધામનું આ પ્રથમ વિહંગદર્શન હતું . ૨૦૦૫નો જૂન મહિનો અંતિમ ચરણમાં હતો ; બપોરના લગભગ એક વાગ્યાનો સમય , અને હિમાલયમાં ભાગ્યે જ જોવા મળે એવું સ્વચ્છ વાતાવરણ હતું . તડકાને કારણે ચોતરફ પથરાયેલો બરફ આંખો આંજી દેતો હતો . કેદારપુરીની   પશ્ચિમના ગગનચુંબી પહાડના માથે ઊભા રહીને ચોતરફ પથરાયેલા હિમસ્વર્ગને હૃદયનાં અહોભાવથી ક્યાંય સુધી નિહાળતો રહ્યો ,   પશ્ચિમે લગભગ હજાર ફૂ...