Posts

Showing posts from July, 2018

ગંગોત્રી પદયાત્રા

Image
     થોડા સમય પહેલા અમે બે મિત્રોએ ઉત્તરકાશીથી ગંગોત્રી અને ત્યાંથી કેદારનાથની પગદંડીએ પદયાત્રા કરી હતી અને એ વિશે ટૂંક વિવરણ મારી ફેસબુક વોલ પર આપ્યું હતું, એ લેખોને સુધારા વધારા સાથે સંકલિત કરીને અહીં મૂકી રહ્યો છું. પ્રવાસ      હું વારંવાર હિમાલયનાં પ્રવાસો કરતો હોઉં છું એટલે કેટલાય મિત્રો પ્રશ્ન કરે છે કે, આ ઘડી ઘડી પ્રવાસ શા માટે ? આ પ્રશ્નનો જવાબ આપવો સહેલો નથી , જેને પ્રવાસનો રંગ લાગ્યો છે એ જ તેનું મહત્વ સમજી શકે. સામાન્ય રીતે મોટાભાગનાં લોકોને પ્રવાસ ગમતો જ હોય છે. એટલે જ પ્રવાસવર્ણન વાંચવા પણ ગમે છે. રજાનાં દિવસોમાં ઘર બહાર નીકળી પડવા માટે મન તલપાપડ હોય છે. સહેતુક પ્રવાસ સાર્થક જ હોય છે પણ હેતુવિહીન રઝળપાટનો કોઈ અર્થ સરતો નથી. હિમાલયનો આનંદ જે પ્રવાસ તમારા મનને આનંદથી તરબતર કરી દે , વિવિધ અનુભવનું ભાતું બંધાવે , હૃદયને સાત્વિકતાનો અહેસાસ કરાવે. જ્ઞાનની સમૃદ્ધિ વધારે અને જેનું સ્મરણ પણ તમને અનોખી દુનિયામાં લઈ જાય એ જ સાચો પ્રવાસ !      પ્રવાસનો સાચો આનંદ મેળવવા માટે કોઈ એક શોખ કેળવવો જરૂરી છે. પ્રકૃતિ દર્શ...