Posts

હિમાલયની એક રાત !

Image
        અમે ફક્ત ત્રણ જણ હતા. હિમાલયનો પરિવેશ , ચોતરફ ગાઢ નિર્જન જંગલ ,   ચારે દિશામાં   ઊંચા ઊંચા પહાડોની ઘેરાબંધી , માઈલો સુધી માનવ વસવાટની કોઈ નિશાની નહી, વાદળઘેર્યું વરસાદી વાતાવરણ અને અંધારી રાતનો વખત, આવા સમયે એકાએક નજીકમાં જ તીણી ચીસ સંભળાય તો કેવી હાલત થાય ? અમારી સાથે તે રાત્રે એવું જ કંઈક બન્યું , ઘટના સામાન્ય હોવા છતાં એક રીતે વિલક્ષણ હોવાને લીધે મને ત્યારે જિમ કોર્બેટનાં પુસ્તકોમાં વાંચેલી કેટલીક વાતો યાદ આવી ગઈ હતી. આજે એ પ્રસંગ અહીં આપું છું.      જે વિચિત્ર અનુભવની આજે વાત કરવી છે તે બનાવ અમારી પદયાત્રા ગંગોત્રીથી કેદારનાથ ભણી જતી પુરાણી જંગલી પગદંડીએ થઈ રહી હતી ત્યારે બન્યો હતો. તે દિવસ હતો, 28 એપ્રિલ, 2016 અને મારા સાથીઓ હતાં, શ્રી હસમુખ ક્યાડા અને શ્રી ભાનુભાઈ અધ્વર્યું.         તે દિવસે અમે ગીચ જંગલ પાર કરીને એક પહાડની ટોચે પથરાયેલા એક નાનકડા પણ હરીયાળા બુગ્યાલમાં (ચરિયાણ) પહોંચ્યા ત્યારે સાંજ થવા આવી હતી. ચડાણનો છેડો આવ્યો. ગાઢ જંગલમાંથી બહાર નીકળીને એકાએક ખુલ્લી જગ્યા દેખાઈ એટલે સ્...

પંચકેદાર

Image
   પંચકેદાર      હિમાલયનું નામ સાંભળતા જ ચાર ધામની યાત્રા, પંચકેદાર, પંચપ્રયાગ અને સપ્તબદરી સહિત અનેક પુરાણ કથાઓ યાદ આવી જ જાય. આપણા પુરાણોમાં તો સમસ્ત હિમાલયને જ શિવસ્વરૂપ કહેવામાં આવે છે. ઊંચા ઊંચા પહાડોને તેની જટા અને તેમાંથી નીસરતી નદીઓને સ્વર્ગથી ઊતરતી ગંગા સમાન માનવામાં શ્રદ્ધાળુઓ ધન્યતા અનુભવે છે. હિમાલય માત્ર શ્રદ્ધાની દ્રષ્ટીએ જ નહી પ્રાકૃતિક સંપદા અને સૌંદર્યની નજરે જોઈએ તો પણ અજોડ છે.                હિમાલયમાં શિવમંદિરોનો મહિમા ખૂબ જ મોટો છે , લગભગ દરેક ગામમાં એકાદ શિવમંદિર જોવા મળે જ છે. ગઢવાલ અને કુમાઉં વિસ્તારનાં શિવ મંદિરોની યાદી તો ખૂબ મોટી છે. પણ તેમાં પંચકેદારનું માહાત્મ્ય ખૂબ છે. ગઢવાલી લોકોમાં એક માન્યતા છે કે જીવનમાં એક વાર તો પંચકેદારની યાત્રા કરવી જ જોઈએ. હિમાલયનું અવર્ણનીય સૌંદર્ય અહીં પથરાયું છે. મેં આ યાત્રા બે વાર જુદા જુદા માંગે કરી છે એટલે એ વિસ્તારોનો સારો અનુભવ છે. આજે આ માર્ગદર્શન આપવાનો હેતુ એટલો કે ગુજરાતી ભાષામાં આવી માહિતીની ખોટ છે અને બીજું કે યુવાનોને ત્ય...